શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢનાં પ્રાગણમાં અલૌકિક તથા દૈદીપ્યમાન
શ્રી મહાવીર પ્રભુનાં જિનાલયની 97 મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી જેઠ સુદ પાંચમના દિવસે કરવામાં આવી. આ ભવ્ય ઉજવણીમાં સંસ્થાના પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીગણ તેમજ સ્થાનિક સ્ટાફની હાજરીએ સોનામાં સુગંધ ભેળવી. દેરાસરમાં એકચિતે પ્રભુપૂજા, આંગી,રોશની, ધાર્મિક અનુષ્ઠાનો આત્માને પ્રસન્નતા અને પવિત્રતાથી પુલકિત કરે છે, સંસારની ધૂળ ખંખરે છે, રાગદ્વેષની ધૂળ ખંખેરી વિશુદ્ધભાવે પ્રભુમાં એક ચિત્ત થઈ, કર્મોને ખપાવી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે.