પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી શ્રીમદ્દ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા સાધુ ભગવંતોની સોનગઢ રત્નાશ્રમની પાવન ધરા પર પધરામણી થઈ હતી.સંસ્થાનાં કમિટી મેમ્બર શ્રી વિજયભાઈ દેઢિયા, શ્રી ભરતભાઈ દેઢિયા તેમજ સ્થાનિક ટીમ દ્વારા પૂજયશ્રીને સંસ્થાના વિવિધ વિભાગોથી માહિતગાર કરેલ તેમજ સંસ્થાની કાર્યપ્રણાલી વિશે જણાવેલ.જ્યાં શિક્ષણની સાથે સાથે ધર્મની ધજા ફરકતી હોય ને બાળકોનું સર્વાંગી ઘડતર થતું હોય એવી રત્નાશ્રમની વિવિધ પ્રવૃત્તિને પૂજ્યશ્રીએ બિરદાવી હતી.