શ્રી ગુરુવે નમ:

સોનગઢ રત્નાશ્રમની પાવન ધરા પર ઉજવાયો “ગુરુ પ્રત્યેનાં ભાવને આદરપૂર્વક
અભિવાદન કરતો ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા.”ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ
તરફ, અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઇ જઈ જીવ,જગત અને જગદીશનો પરિચય
કરાવનાર તત્ત્વ. સોનગઢ રત્નાશ્રમમાં ખૂબજ આદરભાવ પૂર્વક આ દિવસની
ઉજવણી કરવામાં આવી. જેની એક ઝલક : સૌ પ્રથમ રત્નાશ્રમ પરિસરમાં સંસ્થાના સ્થાપક  પ.પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મ.સા. અને પ.પૂ. મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી  મ.સાહેબને સૌ પરિવારજનોએ પુષ્પ અર્પણ કરી વંદન કર્યા. ઓડિટોરિયમ હોલમાં ગુરુ પ્રત્યેનાં ભાવની શાનદાર રજૂઆત બાળકોએ પોતાનાં કલા-કોશલ્ય થકી અભિવ્યક્ત કરેલ. જેમાં, ધોરણ 6 નાં બાળકોએ અભિનય ગીત, ધોરણ 6-8 અને 9 નાં બાળકોએ ‘ગુરુદ્રોણ’, ‘સત્યમ વદામી’ અને ‘અંધેરી નગરી’ નાટ્ય અભિનય કરેલ. ધોરણ 12 નાં બાળકોએ પણ અભિનય ડાન્સ રજૂ કરેલ. આ ઉપરાંત બાળકો દ્વારા ગુરુ પ્રત્યેનાં ભાવને અભિવ્યક્ત કરતું વક્તવ્ય અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં રજૂ કરેલ. સાથે સાથે ગુરુજનો દ્વારા પણ ‘ગુરુનું જીવનમાં સ્થાન’ વિશે બાળકોને ઊંડી સમજણ આપેલ.

 

news headlines