દર વર્ષે બાળકો કુદરતનાં સાંનિધ્યને માણે તેમજ તેનાં નિજાનંદમાં મસ્ત બને તે માટે પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સોનગઢ –પાલિતાણા રોડ પર આવેલ શ્રી કાંઠલી મેલડી માતાનાં મંદિર તેમજ તેના આસપાસનાં કુદરતી સૌંદર્યમાં પોતાનાં નિજાનંદની મજા માણી હતી. બાળકો દ્વારા વિવિધ ખેલકૂદ, સંગીત તેમજ અવનવી રમતો તેમજ કુદરતનાં ખોળે જ ભોજન લીધું હતું.